નરસિંહ મહેતા ને ઘેરે પ્રભુજી પધાર્યા રે || કીર્તન લખેલ છે || Radhe Krishna kirtan

Опубликовано: 14 Сентябрь 2026
на канале: Radhe krishna kirtan
9,043
77

#gujaratikirtan #radhekrishnakirtan #Gujaratikirtan

નરસિંહ મેહતાની ઘેરે પ્રભુજી પધાર્યા રે
પિતાજીનું શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે આવ્યા રે

નાગરની નાત ભેગી થઈને વાતું કરે રે
નરસિંહ મહેતાને આપડે નાત બારો મેલિયે રે
ચોરે ને ચોખટે એક જ વાત થાય રે
ઘરમાં નથી ધાન એ તો શ્રાદ્ધ શેના કરશે રે

માણેક મેહતી તો વાત એવી કરે રે
ઘરમાં નથી ઘી મારે શ્રાદ્ધ શેના કરવા રે
સવાર થયુંને મેહતા ઘી લેવા હાલ્યા રે
આખા ગામમાં ફરી વળ્યાં કોઈએ ઘી નો દીધું રે

એક વૈષ્ણવ વેપારીએ બોલાવ્યા રે
આવો મેહતાજી મારી દુકાન પાવન કરો રે
વેપારીએ ભાવથીને ભજન ગવડાવ્યા રે
શ્રાદ્ધ કરવાનું મેહતા ભાન ભૂલી ગયા રે

બપોર વેળા થાતી આવે મેહતી રાહ જોવે રે
ક્યારે આવે મહેતાજીને શ્રાદ્ધ ક્યારે કરું રે
નરસૈયાનું રૂપ લઈને વાલો મારો આવે રે
રાણી રે રૂક્ષ્મણીને સાથે તેડી લાવે રે

નાગરની નાતને વાલે નોતરાં દીધા રે
પિતાજીનું શ્રાદ્ધ મારે વાલજીએ કર્યું રે
નાગરની નાતને વાલે હોંશેથી જમાડી રે
સોના રૂપાના વાલે દાન સૌને કર્યા રે

બપોર વેળા વીતી ગયને મેહતા ઘેરે આવ્યા રે
ત્યાંતો મારા વાલજીએ કામ પૂરું કયું રે
નરસૈંયાના પિતાજીનું શ્રાદ્ધ જે કોઈ ગાશે રે
ભાવેથી ગાશે એનો વૈકુંઠ વાસ થાશે રે